કડીના કરણનગર રોડની સોસાયટીના બાજુથી પસાર થતી પાણીના કાસમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા લોકો ત્રાહિમામ
કડીના કરણનગર રોડ ઉપર આવેલ સોસાયટીઓની બાજુમાંથી પાણીના કાંસમાં દુર્ગંધ યુક્ત તેમજ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લગરજનો દ્વારા કડી પાલિકા, કુંડાળ પંચાયત, મામલતદાર કચેરીમાં, લેખિત રજુઆત કરવામાં આવી
કડીના કરણનગર રોડ ઉપર આવેલ સોસાયટીની બાજુમાંથી પાણીના કાસમાં કડી છત્રાલ રોડ પર આવેલ વિવિધ ફેકટરીઓમાંથી કેમીકલયુકત, ગટરનું ગંદું પાણી અને દુર્ગંધ યુક્ત પાણી છેલ્લા ત્રણ વર્ષથી છોડવામાં આવતું હોઈ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને કડીના કરણનગર રોડ ઉપર આવેલ વિવિધ સોસાયટીઓમાં ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો થવાની દહેશત ઉભી થઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારે ઘરનો દરવાજો બંધ કરીને ઘરમાં જ રહેવું પડે છે. બારે માસ અહીંયા મચ્છરો જોવા મળે છે અને અમે કેટલી વાર વિવિધ કચેરીઓમાં રજુઆત કરી પરંતુ કોઇ નિકાલ આવતો નથી. સોસાયટીઓમાં ઘરે ઘરે બિમારીઓનો ફેલાવો થાય છે અને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો પણ જોવા મળે છે. કડી પાલિકા, કુંડાળ પંચાયત, મામલતદાર કચેરી જેવી વિવિધ કચેરીઓમાં નિકાલ લાવવા રજુઆત કરવામાં આવી છે.
કડી શહેરમાં આવેલ કરણનગર રોડ ઉપર આશુતોષ સોસાયટી તેમજ શિવમ સોસાયટીની બાજુમાં ચોમાસાના પાણી જવાના કાસમા દુર્ગંધ યુક્ત તેમજ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોઈ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સ્થાનિકોએ કડીની વિવિધ કચેરીઓમાં લેખિત રજુઆત કરીને તેનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે તેવું જણાવ્યું છે.