![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-135.jpg)
AMCએ માગ નહીં સ્વીકારતાં સફાઈકામદારો દ્વારા ફિનાઇલ પીને આત્મવિલોપનનો પ્રયાસ
અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કમિટીએ જે-તે સમયે નગરપાલિકાના આપેલા રેકોર્ડ મુજબ 53 જેટલા સફાઈકામદારોને કોર્પોરેશનમાં રોજિંદા કર્મચારી તરીકે નિમણૂક આપતાં હવે વિવાદ થયો છે. બોપલ વિસ્તારમાં સફાઈ કામગીરી આજે શરૂ કરવામાં આવી હતી. કેટલાક સફાઈકામદારો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા સફાઈકામદારોની માગણી ન સંતોષવામાં આવતાં કેટલાક સફાઈકામદારોએ રોડ પર જ ફિનાઇલ પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્રણ સફાઈકામદારે ફિનાઇલ પી લેતાં સારવાર માટે તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.