![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-63.jpg)
ઊંઝામાં ઐઠોર ચોકડી નજીક ઉમિયા માતાજી મંદિર જવાના રોડ પર ભુવો પડ્યો
ઊંઝા શહેરમાં આવેલા મા ઉમિયાના મંદિરે રોજના હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે ઊંઝા શહેરમાં આવેલ ઐઠોર ચોકડી નજીક ઉમિયા માતાજીના મંદિર જવાના રોડપર વચ્ચે એક મોટો ભુવો પડતા અહીંયાથી પસાર થતા સ્થાનિકો હાલમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે મંદિર નજીક ભુવો પડવાથી દર્શન કરવા આવતા ભક્તો પણ હાલાકી ભોગવી રહયા છે.ત્યારે અહીંયા પસાર થવા વાહન ચાલકો કે રાહદારીઓ ને કોઈ અકસ્માત ના નડે એના માટે તંત્રે બેરીકેટ મૂકી સાવધાનના બોર્ડ લગાવ્યા હતા.