કોરોનાએ માઝા મૂકીઃ ૨૪ કલાકમાં રેકોર્ડ ૧૫,૯૪૮ પોઝિટિવ કેસ,૪૬૫ના મોત
ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે. દરરોજ કોરોનાનાં દર્દીઓની સંખ્યા સરેરાશ ૧૫ હજાર વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસનાં રેકાર્ડતોડ ૧૫ હજાર ૯૪૮ નવા કેસ સામે આવી રહ્યા છે અને એક દિવસમાં ૪૬૫ લોકોનાં મોત થયા છે. આવામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે અચાનક એવું શું થયું કે કોરોનાનાં આટલા બધા કેસ આવવા લાગ્યા છે. કોરોનાનાં કેસમાં થઈ રહેલા વધારાનું મોટું કારણ ટેÂસ્ટંગમાં ઝડપને માનવામાં આવી છે. દેશમાં કોવિડ-૧૯ દર્દીઓની સંખ્યા ૪,૫૦,૦૦૦ ને વટાવી ગઈ હતી. હાલમાં ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪,૫૬,૧૮૩ છે.