![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-16.jpg)
સાબરકાંઠામાં આજથી આંગણવાડીની અને તેડાઘરની બહેનો હડતાલ પર ઉતરી
રાજ્યમાં અલગ અલગ સંગઠનો પોતાની માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી રહ્યા છે. તલાટીની હડતાલ પૂર્ણ થઇ છે, તો બીજી તરફ આરોગ્ય વિભાગની હડતાલના સમેટવા માટે સરકારે રચેલી કમિટીએ પ્રયત્નો કરી રહી છે. તો હવે રાજ્યમાં આંગણવાડી બહેનો મેદાને પડી છે અને પડતર માંગણીઓને લઈને આજથી હડતાલ પર ઉતરી ગઈ છે.
સાબરકાંઠા જીલ્લાની આંગણવાડીઓને આજથી તાળા લાગી ગયા છે. રોજ બાળકોના કોલાહલથી ગુંજતી આંગણવાડી આજે સુની ભાસતી જોવા મળી હતી. જીલ્લાના આઠ તાલુકામાં 1922 આંગણવાડીઓ આવેલી જેમાં 45 હજારથી વધુ બાળકો શિક્ષણ સાથે પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. જેમાં 1914 આંગણવાડી કાર્યકરો અને 1859 તેડાઘર બહેનો આજથી 10 પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરેલ છે.