![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-13.jpg)
પાટણનાં અનાવાડા રોડ પર કૌટુંબિક ઝઘડામાં બે પક્ષો સામસામે
પાટણ શહેરનાં અનાવાડા રોડ ઉપર આવેલી ક્રિષ્ના સોસાયટીમાં દીકરીને પાછી અપાવવાનાં મામલે બે પક્ષો વચ્ચે મારામારી અને બોલાચાલી થતાં સામસામી ફરિયાદો નોંધાવા પામી હતી.
પાટણની અનાવાડા રોડ પર આવેલી ક્રિષ્ના સોસાયટીમાં રહેતા અને કોન્ટ્રાક્ટરનો ધંધો કરતાં રણજીત ચમનજી ઠાકોરનાં ઘરે બપોરે ત્રણ વ્યક્તિઓએ આવીને જેમ ફાવે તેમ બોલતાં હોવાથી તેમની પત્નીએ રણજીતભાઇને જાણ કરતાં તેઓ ઘેર આવ્યા હતા. ત્યારે એ ત્રણે જણાએ રણજીતભાઈનાં ઘરમાં ઘૂસીને રમેશ ઠાકોરને એક વ્યક્તિએ નીચે પાડી દઇને નીચે પટક્યો હતો. જેથી ઇજા થઇ હતી. જ્યારે અન્ય બે વ્યક્તિએ રમેશની પત્નીને ગાળો બોલી હતી. તેમને સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે રણજીતે ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે સામાપક્ષે જોશના વિષ્ણુજી બાબુજી ઠાકોર (રે. સાલવીવાડો ધાંધલાનાં છાપરાં પાટણ)એ પણ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવો આક્ષેપ કર્યો હતો કે, હાર્દિકજીનો દીકરો જોશનાની દીકરીને લઇ ગયેલો અને તેઓ એક જ કુટુંબનાં થતાં હોવાથી તેઓને સમજાવવા જતાં સામેવાળાઓએ ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.