કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સુજલામ સુફલામના લાભથી ખેડુતો વંચિત રહેતાં રોષ
થરાદની સુજલામ સુફલામમાં ફરી પાણી આવતાં રાહથી લખાપુરાનો વાહનવ્યવહાર બંધ થવા પામ્યો હતો. આથી તે અંગેની વૈક્લ્પિક વ્યવસ્થા કરીને રસ્તો ચાલુ કરવામાં આવ્યો હતો તેમ ગામના માંગીલાલ રાજપુતે જણાવ્યું હતું. જો કે પાણી આવવાના કારણે હાલાકી કરતાં છેવાડા સુધી પાણી નહી પહોંચતાં ખેડુતોમાં ભારે રોષની લાગણી પ્રસરવા પામી છે. આ અંગે રાહના ભાજપના અગ્રણી મેવાભાઇ ખટાણાએ જણાવ્યું હતું કે સુજલામનીસુફલામ કેનાલમાં પાણી થરાદના ચાંગડા ગામની સીમ સુધી પહોંચે તેવી ખેડુતોની માંગણી હોઇ સાંસદ પરબતભાઇ પટેલના પ્રયાસોથી બે જગ્યાએ નાળાં નાંખવાનો કોન્ટ્રાક્ટ ગત જાન્યુઆરીમાં આપવામાં આવ્યો હતો. પરંતુ સરકારના નિતીનિયમ મુજબ નવ મહિનામાં પુર્ણ કરવાની મુદતને આઠ મહિના પુર્ણ થવા છતાં પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી.