![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-312.jpg)
બનાસકાંઠામાં આજે નવા 910 પશુઓ પર રોગની અસર, વધુ 19 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં આજે નવા 910 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. તેમજ આજે 19 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકાઓના 819 ગામોના પશુઓમાં લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 26,171 પશુઓ લંપી વાઇરસની ચપેટમાં આવ્યાં છે. તેમજ અત્યાર સુધીમાં 542 પશુઓના મોત થયા છે.
જિલ્લાના 14 તાલુકાઓમાં લંપી વાઇરસની અસર જોઈએ તો દાંતા તાલુકાના કુલ 35 ગામો, અમીરગઢ તાલુકના કુલ 31 ગામ, પાલનપુર તાલુકાના કુલ 83 ગામો, વડગામ તાલુકના 83 ગામ, દાંતીવાડા તાલુકાના કુલ 44 ગામ, ડીસા તાલુકાના કુલ 83 ગામો, કાંકરેજ તાલુકાના કુલ 66 ગામો, વાવ તાલુકાના કુલ 66 ગામો, થરાદ તાલુકાના કુલ 88 ગામો, ભાભર તાલુકાના કુલ 44 ગામો, દિયોદર તાલુકાના કુલ 56 ગામો, ધાનેરા તાલુકના કુલ 55 ગામો, સુઈગામ તાલુકાના કુલ 35 ગામો તેમજ લાખણી તાલુકાના કુલ 60 ગામો સહિત કુલ 819 ગામો લમ્પી વાઇરસ અસરગ્રસ્ત થયા છે.