![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/ffffffff.jpg)
ઉત્તમપુરા (મલાણા)માં ત્રણ સંતાનની માતાની હત્યા
(રખેવાળ ન્યૂઝ) પાલનપુર, પાલનપુર તાલુકાના મલાણા ગામના દેવજીભાઈ નરસુંગભાઈ ચૌધરી ની બહેન ગીતાબેનના લગ્ન ઉત્તમપુરા (મલાણા)ના ગામના માનજીભાઈ ભીખાભાઇ ફોફ સાથે કરેલા હતા. આ પરણીતાને ત્રણ સંતાન હતા પરતું મનજીભાઈ પોતાની પત્નીને યેન-કેન પ્રકારે શારીરિક અને માનસિક ત્રાસ ગુજરતા હતા. દરમિયાન ગત.તા.૨૨ ઓગષ્ટના રોજ ગીતાબેન ફોફને તેમના પતિ મનજી ભાઈ ભીખાભાઇ ફોફ અને સાસુ સંતોકબેન ભીખાભાઇ ફોફ એ તેમના ભાગીયા છોટારામ કાળુજી ડાભી રહે. ઘાઘુ તા.અમીરગઢ, ભીમાભાઈ પૂના ભાઈ પરમાર રહે.દલાપુરાજી.પિંડવાડા અને વિશનારામ પરમાર રહે. હિલવાની મદદ થી ગળે ટૂંપો આપી મોત નીપજાવ્યું હતું.
જે મામલે મૃતક ગીતાબેનના ભાઈ દેવજીભાઈ ચૌધરીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પોતાની બહેન ને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાની પોતાના બનેવી સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવતા પોલીસે મૃતકના પતિ,સાસુ સહિત ચાર આરોપીની અટકાયત કરી છે અને ફરાર એક આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
મૃતકના શરીર પર ઇજાના નિશાનથી હત્યા કરાઈ હોવાનું માલૂમ પડ્યું ઉત્તમપુરા મલાણા ની ગીતાબેનનું ટૂંપો આપવાથી મોત થતા તેના પતિએ બનાવ અંગે તેમના સાસરીપક્ષમાં જાણ કરતા તેમના સાળા દોડી આવ્યા હતા અને મૃતકના ગળા તેમજ શરીરના ભાગે ઇજાના નિશાન જણાઈ આવતા મૃતકની હત્યા કરાઈ હોવાનું જણાઇ આવતા ફરિયાદ કરાઇ હતી.
કોની કોની સામે હત્યાનો ગુનો નોંધાયો
- મનજીભાઈ ભીખાભાઇ ફોફ (પતિ)
- સંતોકબેન ભીખાભાઇ ફોફ (સાસુ) બન્ને
- રહે.ઉત્તમપુરા મલાણા
- છોટારામ કાળુજી ડાભી
- રહે. ઘાઘુ તા.અમીરગઢ
- ભીમાભાઈ પૂનાભાઈ પરમાર રહે.દલાપુરા
- જી.પિંડવાડાવિશનારામ પરમાર રહે.હિલવા.