ડીસાની નંદનવન સોસાયટીના બંધ મકાનમાં ધોળે દિવસે ઘરફોડ ચોરી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના માર્કેટયાર્ડ પાછળ આવેલા નંદનવન સોસાયટી ખાતે દશરથભાઈ મગનભાઈ પરમાર રહે છે અને ડાવસ ખાતે નોકરી કરે છે. જેઓ ગત તા. ૧૨/૮/૨૨ ના રોજ પરિવાર સાથે અંમદાવાદ ગયા હતા અને રોકાઈ ગયા હતા.બાદમાં તા. ૨૧/૮/૨૨ ના રોજ પરત ફર્યા હતા અને ડીસામાં પોતાનું મકાન બન્ધ કરી ડાવસ ગયા હતા. ત્યારબાદ તા.૨૬/૮/૨૨ ના રોજ તેમના પડોશી ભરતભાઇએ ફોન કરી તેમને જણાવેલ કે તમારા ઘરને તમેં તાળું માર્યું હતું ત્યારે દશરથભાઈએ કહેલ કે તાળું તો મેં માર્યું હતું. જેથી તેઓ તાત્કાલિક ડીસા દોડી આવ્યા હતા અને તેમનું મકાન ખુલ્લું હતું તથા સરસમાન વેર વિખેર પડ્યો હતો અને તિજોરી પણ ખુલી હતી. જેમાં તપાસ કરતા સોનાનો નેકલેસ,સોનાની ચેન ,સોનાની વીંટી, ચાંદીનો કંદોરો ,પાયલ અને રોકડ મળી કુલ ૨,૨૮,૬૦૦ નો મુદામાલ કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયો હતો. આ મામલે તેમણે દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.