![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-287.jpg)
લમ્પીના કેસ હવે પાલનપુરમાં પણ વધ્યા,19 ગાયોના મોત
લમ્પીથી જિલ્લામાં વધુ 19 ગાયોના મોત નીપજ્યા છે. સૌથી વધુ લમ્પીના કેસ હવે પાલનપુરમાં સામે આવી રહ્યા છે. નવા 702 કેસ આવ્યા હતા જેમાંથી સૌથી વધુ પાલનપુરના ગામોના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લા પશુપાલન વિભાગ એ જણાવ્યું હતું કે નવા 12 ગામમાં કેસ નોંધાયા છે તેની સાથે જ જિલ્લામાં ગાયોની સારવાર ચાલતી હોય તેવા ગામોની સંખ્યા 192 એ પહોંચી છે.
બનાસ ડેરી ના સુત્રોએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વેક્સિનેશન બનાસકાંઠામાં થયું છે. એ તરફ રાજ્યમાં 36 લાખ ડોઝ અપાયા છે જેની સામે એકલા બનાસકાંઠામાં 12 લાખથી વધુ ડોઝ અપાયા છે. બનાસ ડેરીના ડો.હરિભાઈએ જણાવ્યું હતું કે ” લમ્પીમાં ગાયને તાવ આવે છે અને તેનું ટેમ્પરેચર ખૂબ હાઈ થઈ જાય છે . મોસમનું ટેમ્પરેચર ઓછું હોવાથી એ તકલીફ પણ ઓછી પડી હતી.