![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-230.jpg)
AAPના સુપ્રીમો અને મનીષ સિસોદિયા બેઠક સંબોધશે
સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિમતનગરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જાહેરસભા યોજાશે અને આરોગ્યની ગેરંટી આપશે તો જીલ્લાના કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કરશે. સાબરકાંઠા આમ આદમી પાર્ટી દ્વારા જાહેરસભાને આખરી ઓપ આપી દીધો છે.
વિધાનસભા ચુંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક વારંવાર ગુજરાત આવી રહ્યા છે, અને રાજ્યની પ્રજાને ગેરંટીઓ આપી રહ્યા છે. ત્યારે આજે હિંમતનગરમાં આમ આદમી પાર્ટીની જાહેરસભા ડૉ નલીનકાંત ગાંધી ટાઉન હોલમાં યોજાશે. જેને લઇને તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. ઠેર-ઠેર રોડ પર વાવટા લગાવવામાં આવ્યા છે. તો ટાઉન હોલ પણ બેનારોથી ઢંકાઈ ગયો હતો.