પાર્ટી લડાવશે તો ચૂંટણી લડીશ, નહીં લડાવે તો નહીં લડું : વિજય રૂપાણી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંબાજી મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. અંબાજી મંદિર પહોંચી વિજય રૂપાણી પરિવાર સાથે માં અંબાના દર્શન કર્યા હતા. ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓને આગામી ચૂંટણી લડવા બાબતે પૂછતા તેઓએ જણાવ્યું કે, ‘પાર્ટી લડાવશે તો ચૂંટણી લડીશ, નહીં લડાવે તો નહીં લડું, અમારે ત્યાં વ્યક્તિ નહીં પાર્ટી નક્કી કરશે’. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતની જનતાની સુખકારી જીવન માટે માતાજીને પ્રાર્થના કરી હતી. દાંતા તાલુકાના કુકડી ગામથી રામદેવરા જતા યાત્રાળુઓને અકસ્માત નડ્યો છે તેમને માટે રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી હતી.ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણી યોજનાર છે. તેને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મીડિયા સમક્ષ જણાવ્યું કે, મારે ચૂંટણી લડવી છે કે નહીં તે પાર્ટી નક્કી કરશે…પાર્ટી કહેશે તોહું ચૂંટણી લડીશ અને પાર્ટી ના પાડશે તો નહીં લડું.. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પોતાની ચૂંટણી લડવાનો નિણર્ય પાર્ટી પર છોડ્યો.