ધાનેરાના સમરવાડા વહોળામાંથી તાજી જન્મેલ બાળકનો મળ્યો મૃતદેહ
બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત તાજા જન્મેલા બાળકનો મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે. જેમાં થોડા દિવસ અગાઉ દાંતીવાડા તાલુકામાંથી એક ભ્રૂણ રસ્તા વચ્ચેથી મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ભ્રૂણને લઈ વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે આજે સવારે ધાનેરાના સમરવાડા વહોળામાંથી એક તાજું જન્મેલું બાળક નજરે પડતાં સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે વહોળામાંથી બાળક મળતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી બાળકના મૃતદેહનો કબ્જો લઇ આગળની તપાસ હાથ ધરી છે.