પાટણઃ કોરોના સંક્રમણ કાબૂ બહાર, ૩ નવા કેસ વચ્ચે એક મોત

પાટણ
પાટણ

પાટણમાં આજે કોરોના વાયરસના નવા ત્રણ કેસ આવ્યા તો સામે એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયુ છે. આજે પાટણ શહેરમાં કોરોનાના નવા બે અને શંખેશ્વરમાં એક કેસ સામે આવતા આજે નવા ત્રણ કેસ સામે આવ્યા છે. પાટણ શહેરમાં કોરોના સંક્રમણ બેફામ બન્યું હોય તેમ દરરોજ નવા કેસો આવતા આરોગ્યમાં દોડધામ મચી છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૧૫૧ કેસો નોંધાઇ ચૂક્યા છે.

પાટણ જીલ્લામાં કોરોના વાયરસના નવા ત્રણ કેસો સામે આવ્યા છે. આજે પાટણ શહેરના દોશીવટ બજાર પાસે ૫૦ વર્ષીય પુરૂષ અને છીંડીયા દરવાજા પાસેના ભૈરવ મંદીર પાછળ પલ્લવીપાર્ક સોસાયટીમાં ૪૭ વર્ષીય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ શંખેશ્વરના સામુહિક આરોગ્ય કેન્દ્રના પાછળના વિસ્તારમાં રહેતા ૩૭ વર્ષીય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

આજે પાટણ શહેરના છીંડીયા દરવાજાના ૭૦ વર્ષીય કોરોનાના દર્દીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે. કોરોનાના કહેર વચ્ચે અનલોક-૧માં અપાયેલી છુટના કારણે પાટણમાં સ્થાનિક સંક્રમણ કાબૂ બહાર જઇ રહ્યુ હોય તેમ દરરોજ કેસો આવી રહ્યા છે. આ તરફ પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૧૫૧ કેસો નોંધાયા છે.
નોંધનિય છે કે, આ દર્દીઓના કોરોના સેમ્પલ અમદાવાદ સિવિલમાં લેવાયા બાદ તે પોઝિટીવ આવતા હાલ તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. આ ત્રણેય દર્દીઓમાં ખાંસી, શરદી અને શ્વાસ લેવામાં તકલિફ હોવાનાં લક્ષણો જોવા મળતાં તેમનાં કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. કોરોના સાથે જીવવાની આદત પાડવી પડશે તેવી સુફિયાણી સલાહ આપતી સરકાર ક્યાંકને ક્યાંક સરકારી ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરાવવામાં નિષ્ફળ નિવડી હોય અને આમ પ્રજાને જાણે ભગવાન ભરોસે છોડી દેવાઈ હોય તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.