જમ્મુના એક ઘરમાંથી 6 મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો
જમ્મુના સિધરામાં એક ઘરમાંથી 6 મૃતદેહો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. શંકાસ્પદ હાલતમાં આ મૃતદેહો મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, મૃતકોમાં એક મહિલા, તેના બે દીકરીઓ અને 2 સંબંધીઓ સામેલ છે.
આ લોકોના મૃત્યુ કેવી રીતે થયાં તે જાણવા મળ્યું નથી. પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. જેમના મૃતદેહો મળ્યાં છે તેમાં મહિલાની ઓળખ શકીના બેગમ તરીકે થઈ છે. જ્યારે તેની બે દીકરીઓ નસીમા અખ્તર અને રૂબિના બાનો તથા દીકરો ઝફર સલીમ છે. અ મહિલાના બે સંબંધીઓ નૂર અલ હબીબ અને સજ્જાદ અહમદ સામેલ છે.
પોલીસે તમામ મૃતદેહોનો કબજો લઈને સરકારી મેડિકલ કોલેજમાં મોકલી આપ્યા છે. પોલીસે દરેક દિશામાં તપાસ શરૂ કરી છે પણ હજુ કાંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે. પોલીસે માત્ર એટલું કહ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે.