ઉપરવાસમાં ભારે વરસાદ થતાં બનાસનદી બે કાંઠે

Other
Other

બનાસનદી બે કાંઠે થતાં અમીરગઢના નદીકાંઠાના ગામડાઓને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે, કોઇને નદી કિનારા નજીક જવું નહીં. કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હજું નદીમાં વધારે પાણી આવવાની શક્યતાઓ વર્તાઇ રહીં છે.

બનાસનદીમાં પાણીમાં વધારો થતા દાંતીવાડા ડેમમાં 4905 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ડેમની સપાટી 566.80 ફૂટે પહોંચી છે. દાંતીવાડામાં અત્યાર સુધી 21.29 ટકા પાણી થયું છે. જોકે, ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હજુ દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.