![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-151.jpg)
રિયલ લાઈફમાં લૉરેન પર છે અનુપમના તોષુને ક્રશ
મુંબઈ, એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના કલાકારો પાછળ લાખો ફેન્સ ફિદા હોય છે, પરંતુ તેમને કોના પર ક્રશ છે તે જાણવાની હંમેશા ઉત્સુકતા રહે છે. ઘણીવાર જ્યારે કોઈ એક્ટર કે પછી એક્ટ્રેસ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઊ શ્ છ સેશન રાખે ત્યારે ફેન્સ તેમને તેમના ફેવરિટનું નામ પૂછતાં હોય છે અને તેઓ જવાબ પણ આપે છે.
પોપ્યુલર સીરિયલ અનુપમામાં પારિતોષ ઉર્ફે તોષુનું પાત્ર ભજવી રહેલા આશિષ મેહરોત્રાએ પણ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે એક સેશન રાખ્યું હતું, જેમાંથી તેણે તેમાંથી બેસ્ટ ૯ સવાલનો જવાબ આપવાનું કહ્યું હતું. આ દરમિયાન એક ફેને એક્ટરને તેને કોના પર ક્રશ છે, તેવો સવાલ કર્યો હતો. જેનો તેણે તસવીર શેર કરીને જવાબ આપ્યો હતો. ફેને આશિષ મેહરોત્રાને સવાલ કરતાં પૂછ્યું હતું, ‘તારી ક્રશ?’, જેના જવાબમાં એક્ટરે ડાન્સર અને એક્ટ્રેસ લૉરેન ગોટલિબનું નામ લીધું હતું.
તેણે તેની તસવીર શેર કરતાં લખ્યું હતું ‘મારી આજીવન માટેની ક્રશ. માત્ર તેના સ્મિત માટે નહીં પરંતુ તેની આંખોમાં રહેલી પ્રામાણિકતા, તેના ડાન્સ અને સ્ટાઈલમાં સરળતા. તે જે રીતે પોતેને સંભાળે છે મને ગમે છે’. જણાવી દઈએ કે, તે રેમો ડિસૂઝાની ફિલ્મ છમ્ઝ્રડ્ઢઃ એની બડી કેન ડાન્સ’માં જાેવા મળી હતી. એક ફેને પૂછ્યું હતું ‘જાે તું શિક્ષક હોત તો, ડાન્સ અને આર્ટ સિવાય કયો વિષય ભણાવવાનું પસંદ કરત?’, જેના જવાબમાં એક્ટરે લખ્યું હતું ‘માણસાઈ આજના સમયમાં લોકોમાં આ વાત નથી જાેવા મળતી. એક ફેને પૂછ્યું હતું ‘તારું ફેવરિટ સ્થળ કયું છે?’, જવાબમાં આશિષ મેહરોત્રાએ મમ્મી સાથેની તસવીર શેર કરીને લખ્યું હતું ‘મારી ગમતી જગ્યા, જ્યાં તે હોય એ છે’. એક્ટરના હાથમાં ઘણીવાર બ્રેસલેટ જાેવા મળે છે,
તેમાં શું લખેલું છે તેવો ફેને સવાલ પૂછતાં એક્ટરે લખ્યું હતું ‘તેમાં મહામૃત્યુંજય જાપ લખેલો છે અને વાઘની આંખ છે. અનુપમા’ની શરૂઆત થઈ ત્યારથી તોષુના પાત્રમાં જાેવા મળી રહેલા આશિષ મેહરોત્રાની ખ્યાતિ ઘણી વધી છે. હાલના ટ્રેકની વાત કરીએ તો, મંદિરમાં રાખવામાં આવેલી પૂજા દરમિયાન વનરાજે અનુજને બોલાવ્યો હતો અને તેને ફૂલ સ્પીડમાં કાર ચલાવી ક્યાંક લઈ ગયો હતો. આ દરમિયાન કારને અકસ્માત નડ્યો હતો, ત્યારબાદ બંનેને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વનરાજની હાલત ઠીક છે તો બીજી તરફ અનુજની તબિયત લથડી રહી છે. આગામી સમયમાં તેને લકવાગ્રસ્ત દેખાડાશે અને ત્યારથી ફરીથી અનુપમાની મુસીબતો શરૂ થશે.