નીલપુર ગામમાં આંગણવાડીના બાળકો જર્જરીત છતના ભયમા
દાંતીવાડા તાલુકાના નીલપુર ગામમાં આંગણવાડી નું મકાન જર્જરીત છે અને વરસાદનું પાણી છતમાંથી રૂમમાં ટપકે છે જેથી વાલીઓ
પોતાના બાળકોને આંગણવાડી મુકવામાં રાજી નથી અને તેના પગલે બાળકો નું પાયાનું ઘડતર બગડી રહ્યું છે હાલમાં ગામના લોકો નવું મકાન બનાવવા માંગ કરી રહ્યા છે. નીલપુર ગામમા હાલમા જર્જરીત આંગણવાડીનું મકાન સાલ ૨૦૦૦ મા ગોકુળ ગ્રામ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવ્યું હતું તે મકાન જર્જરીત થવાથી ગયા ચોમાસા દરમિયાન અને આ સાલ પણ વરસાદનું પાણી રૂમોમાં ટપકી રહ્યું છે.
અને મકાનની દીવાલોમાં પણ તિરાડો પડી છે જેનાં પગલે ગામના લોકો પોતાના વહાલસોયા બાળકોને ભય વાળા મકાનમાં ગણવાડીએ
મુકવા તૈયાર નથી અને હાલમાં મોકલી પણ નથી રહ્યા. અને આંગણવાડી નું મકાન નવું બનાવવા માગ કરી રહ્યા છે.