શાહરુખ નહી પણ સલમાન ખાન હોત મન્નતનો માલિક

ફિલ્મી દુનિયા

મુંબઈ, શાહરુખ ખાન પોતાની ફિલ્મી કરિયરની સાથે-સાથે પોતાના આલિશાન બંગલા ‘મન્નત’ને લઈ ઘણો ચર્ચામાં રહેતો હોય છે. શાહરુખનો આ બંગલો એક આલિશાન મહેલ જાેવો છે અને તે અત્યારે મુંબઈનું ફરવાનું સ્થળ બની ગયો છે. મન્નતની બહાર ફોટો ક્લિક કરાવા માટે પ્રવાસીઓની ભીડ જાેવા મળતી હોય છે. પરંતુ શું તમને એ ખબર છે કે, શાહરુખની પહેલાં આ બંગલો સલમાન ખાન ખરીદવાનો હતો?. ચાલો તમને જણાવીએ મન્નતની અનોખી સ્ટોરી. હાલમાં જ પત્રકાર ફરીદૂન શહરયારીને આપેલા એક ઈન્ટરવ્યુમાં સલમાન ખાને તેનો ખુલાસો કર્યો છે. સલમાનને ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું કે, એવી એક વસ્તુ જણાવો જે શાહરુખ પાસે છે પણ તમારી પાસે નથી અને તમે ઈચ્છો છો કે, તે વસ્તુ તમારી પાસે હોય. આ પ્રશ્નનો જવાબ આપતાં સલમાન ખાને મન્નતનું નામ લીધું હતું. આ પછી સલમાને કહ્યું કે એક સમયે તે આ બંગલાને ખરીદવાનો પણ હતો.

સલમાન ખાને જણાવ્યું કે, શાહરુખની પહેલાં મન્નતને ખરીદવાની તક તેને મળી હતી અને તે ખરીદવા પણ ઈચ્છતો હતો. જાે કે, આ વિશે જ્યારે સલમાને તેના પિતા સલીમ ખાનને જણાવ્યું તો, સલીમ ખાને કહ્યું કે, તું આટલા મોટા ઘરનું શું કરીશ. જે બાદ સલમાને મન્નતને ખરીદવાની ઓફરને ના પાડી દીધી હતી. આ પછી સલામને મજાક કરતાં કહ્યું કે, “ભાઈ, શાહરુખ તું આવડા મોટા ઘરનું શું કરે છે?” ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાને મન્નતને વર્ષ ૨૦૦૧માં ૧૩.૩૨ કરોડમાં ખરીદ્યો હતો. તો રિપોર્ટ્‌સનું માનીએ તો, આજે મન્નત બંગલાની કિંમત ૨૦૦ કરોડથી પણ વધુ છે. હાલ શાહરુખ ખાન આ આલિશાન મહેલમાં રહે છે. તો સલમાન ખાન મન્નતની પાસે જ આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.