સુષ્મિતા સારા એક્ટર તો છે જ પરંતુ અદ્દભુત વ્યક્તિ પણ છે : ચારુ

ફિલ્મી દુનિયા

મુંબઈ, જ્યારથી અલગ થયેલા કપલ ચારુ અસોપા અને રાજીવ સેને તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓ હોવાનો ખુલાસો કર્યો છે, ત્યારથી દરેક વ્યક્તિ તેમની વચ્ચેની કડવાશના કારણો વિશે અનુમાન લગાવી રહી છે. ચારુ અસોપાએ તેના પહેલા લગ્નને છુપાવ્યા હોવાનો રાજીવ સેને આક્ષેપ લગાવ્યો હતો તો તેણે દાવો કર્યો હતો કે ૨૦૧૯માં લગ્ન થયા તે પહેલાથી જ તે બધું જાણતો હતો. લેટેસ્ટ ચર્ચા તેવી છે કે, રાજીવની બહેન, બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર તેને અનફોલો કરી દીધો છે જ્યાકે તે ચારુને સપોર્ટને સપોર્ટ અને ફોલો કરી રહી છે.

અગાઉ, અફવા પર સ્પષ્ટતા કરતાં રાજીવે જણાવ્યું હતું કે, તેની બહેન તેને ઈન્સ્ટાગ્રામ પર પહેલાથી જ ફોલો નથી કરતી પરંતુ ટિ્‌વટર પર કરે છે. સુષ્મિતા સેન ચારુને સપોર્ટ કરી રહી હોવાની અફવાને સંબોધિત કરતાં, રાજીવ સેને કહ્યું હતું કે તેની બહેન તે જાણવા માટે સ્માર્ટ છે કે કપલ ક્યાં છે અને દરેક જાણે છે કે, ચારુ કેવી રીતે વિક્ટિમ કાર્ડ રમવામાં માસ્ટર થઈ ગઈ છે. જ્યારે તેના પર લાગેલા લેટેસ્ટ આરોપ અને સુષ્મિતા સેન સાથેના સંબંધો વિશે સંપર્ક કર્યો ત્યારે ચારુ અસોપાએ કહ્યું હતું કે ‘સુષ્મિતા દીદી અદ્દભુત વ્યક્તિ છે, તે સારા એક્ટર છે અને સારા વ્યક્તિ પણ.

શરૂઆતથી જ તેઓ હંમેશા મને આવકારતા રહ્યા છે અને હું તેમજ તે જે બોન્ડ શેર કરીએ છીએ તેને હંમેશા સાચવીને રાખીશ. કેટલાક સંબંધો જીવનભરની ઉજાણી માટે હોય છે અને મારા તેમની સાથેના સંબંધો તેવા જ છે. મને તેમના પ્રત્યે માન છે. પોતાના લાભ માટે વિક્ટિમ કાર્ડનો ઉપયોગ કરી રહી હોવાના રાજીવ સેનના આરોપ પર પ્રતિક્રિયા આપતા એક્ટ્રેસે કહ્યું હતું ‘રાજીવે મને જ્યાં સુઝી વિક્ટિમ કાર્ડ રમવાની માસ્ટર કહી છે ત્યાં સુધી હું તેના જુઠ્ઠાણાં પર સ્પષ્ટતા કરીને થાકી ગઈ છું. મેં મારી વાત સામે મૂકી દીધી છે અને મારા તરફથી બધું એન્ડ પર છે’. ચારુએ ઉમેર્યું હતું ‘જાે તે મારા વિશે ચોક્કસ રીતે અનુભવતો હોય તો, તે તેની વિચાર પ્રક્રિયા છે. ચાલો બાબતોને સમય પર છોડી દઈએ…કોણ શું છે તે દરેકની સામે સમય આવ્યે ખુલ્લું પડી જશે’.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.