GST મુદ્દે સાબરકાંઠા જીલ્લામાં વિરોધ ખાદ્ય પદાર્થ પર 5% GST

સાબરકાંઠા
સાબરકાંઠા

હિમતનગર, સાબરકાંઠા જીલ્લાના દાળમિલો અને માર્કેટયાર્ડોના વેપારીઓએ ૫ ટકા GSTનો વિરોધ શરૂ કર્યો હતો. તેના સાથે હિંમતનગર શહેરમાં તમામ વેપારીઓ દુકાન બંધ કરી વિરોધમાં જોડાયા હતા. હિંમતનગર માર્કેટયાર્ડમાં હરાજી બંધ થતા અને વેપારીઓએ દુકાનો બંધ રાખતા મજુરો આજે મોબાઈલના સહારે સમય પસાર કરતા જોવા મળ્યા હતા.

આડકતરી રીતે તેઓ પણ અનાજ, કઠોળ પર લગાવેલ 5 ટકા GST દુર કરવાની માંગણીમાં જોડાયા હતા. હિંમતનગર, ઇડર, વડાલી, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા અને વિજયનગરના માર્કેટયાર્ડના વેપારીઓ 5 ટકા GST દુર કરવાના વિરોધમાં ઉતર્યા હતા. ત્યારે વેપારીઓએ આવેદનપત્ર આપી GST દુર કરવા સરકાર પાસે માંગણી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.