ડીસાના ભોંયણ પાસે ગાડી પલટી ખાતા ચાલકનું કરુણ મોત, બે વ્યક્તિને ઈજા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના ભોંયણનાપાટીયા પાસે મારુતિ કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડી ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.જ્યારે બે લોકોને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને છેલ્લા એક મહિનામાં ડીસા તાલુકામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે.જે અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે વધુ એક અકસ્માત ડીસા  નજીકના ભોયણ પાટીયા પાસે
સર્જાયો હતો. જેમાં વરણ ગામના વતની ગણપતભાઈ ઈશ્વરભાઈ ઘોઘાળ પોતાની ગાડી લઈને પાલનપુરથી બે લોકો સાથે ડીસા
તરફ આવી રહ્યા હતા. તે સમયે ભોંયણ નજીક અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા મારુતિ કાર રોડ પર પલટી ખાતા ચાલક ગણપતભાઈ ઘોઘાળનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ગાડીમાં અન્ય બે લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. આ અકસ્માતના
પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા. અને ઘવાયેલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દોડીઆવેલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વરણ ગામના ગણપતભાઈનું મોત નિપજતા રબારી સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.