બનાસકાંઠા જિલ્લામાં પશુઓની સહાયનો મુદ્દો ઉગ્ર બન્યો | વિવિધ સંગઠનો દ્વારા રજુઆતો કરીને સરકારને જગાડવા પ્રયાસ શરૂ કરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

સરકારે જાહેર કરેલ રૂ.૫૦૦ કરોડની સહાય નહી મળતાં થરાદમાં તાલુકાની ૭૯ ગૌશાળાના સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.સાથે સાથે સરકારના કાર્યક્રમમાં શાળામાં આવેલા સાંસદ પરબતભાઇ પટેલને પણ મળીને સરકાર પાસેથી ગૌવંશ સહિતના પ
શુઓના નિર્વાહ માટે સરકાર પાસેથી રૂપીયા અપાવવાની વિનંતીભરી ઉઘરાણી કરી હતી. સરકાર દ્વારા ૨૦૨૨ના બજેટમાં રૂ.૫૦૦ કરોડની સહાય અંગે જાહેરાત ૩જી માર્ચે કરાઈ હતી. જેને પાંચ મહિનાનો સમય વિતવા છતાં પણ હજુ સુધી એક પણ રૂપીયો ગૌશાળા  જરોપોળમાં
પહોંચ્યો નથી. આથી તેના સંચાલકોને પશુઓના નિર્વાહ માટે કફોડી સ્થિતી થવા પામી છે. સરકાર પાસેથી ઝડપથી સહાય મળે તે માટે થરાદની પ્રાંત કચેરીમાં તાલુકાની ૭૯ જેટલી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો એકઠા થયા હતા.જ્યાં તેમણે સરકાર શા માટે હજુ સુધી ફાળવણી કરતી નથી તે માટેની લડત માટે અગિયાર સદસ્યોની કમિટી બનાવવા ઉપરાંત પણ અન્ય મુદ્દાઓની ચર્ચા કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.