પાંથાવાડાના મફતપુરા વિસ્તારમાં શિક્ષકે જીવન ટુંકાવતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડા તાલુકાના પાંથાવાડાના મફતપુરા વિસ્તારમાં રહેતા અને ધાનેરા તાલુકાની સોડલ પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. શિક્ષકની આત્મહત્યાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. બનાવના પગલે ખાવડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક શિક્ષક ધાનેરા તાલુકાના સોડાલ પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પથાવાડા પોલીસ તાત્કાલિક શિક્ષકના ઘરે પહોંચી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. જાેકે, આ શિક્ષકે પોતાનું જીવન કેમ ટૂંકાવ્યું એ હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ અગમ્ય કારણોસર સર શિક્ષકે આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં એરેરાટી મચી જવા પામી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.