સુશાંતના આત્મહત્યાના સમાચાર સાંભળતાં જ ભાભીનું અવસાન

ફિલ્મી દુનિયા

મુંબઇ,
બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી પરિવાર, તેના ચાહકો અન બોલીવુડ આઘાતમાં છે, ત્યારે સુશાંતના ઘરના વધુ એક સભ્યનું મોત થયું છે. સુશાંતના અંતિમ સંસ્કાર મુંબઇમાં થઇ રહ્યા હતા, ત્યારે બિહારમાં રહેતા તેમના ભાઇની પત્નીનું અવસાન થયું છે. સુશાંતના નિધનના સમાચાર મળવાની સાથે જ તેમના ભાભી આઘાતમાં સરી પડ્યાં હતા અને ખાવા-પીવાનું છોડી દીધું હતું.
સુશાંતના આત્મહત્યાના સમાચાર મળ્યા બાદ બિહારના પૂર્ણિયામાં રહેતા તેમના ભાભી સુધા દેવીની તબિયત બગડી ગઈ હતી અને તેમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. તેમને અભિનેતાના નિધને ભારે આઘાત લાગ્યો હતો. જ્યારે મુંબઇમાં સુશાંતને અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી, ત્યારે પૂર્ણિયામાં સુધાએ અંતિમ શ્વાસ લીધા. સુધા તેમના કઝિનની પત્ની છે. ઘરના વધુ એક સભ્યના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈમાં તેના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સોમવારે વિલે પાર્લે સ્થત સ્મશાન ઘાટ પર પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.