સાબરકાંઠામાં કોરોનાના નવા બે કેસ સાથે જિલ્લામાં કુલ ૧૧૩ કેસ નોંધાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ સાબરકાંઠા :સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંર્ક્મણના કેસ વધી રહ્યા છે. આ સંર્ક્મણને ફેલાતુ રોકવા માટે વહિવટી તંત્ર યુધ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. લોકોમાં કોરોનાને લઈને જાગૃતિ ફેલાવો, સેનિટાઇઝેશન, ફરજીયાત માસ્ક વગેરે બાબતે ખાસ ધ્યાન લેવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં સોમવારે આવેલા રીપોર્ટમાં ઇડર તાલુકાના ગણેશપુરા ગામના ૪૮ વર્ષિય પુરૂષ તેમજ હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારના ૬૧ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કુલ ૧૧૩ કેસ નોંધાયા છે. જેમાંથી ૮૯ દર્દી કોરોના મુક્ત થયા છે. જયારે ૫ કોરોના દર્દીના દુઃખદ મૃત્યુ થયા હતા. હાલમાં ૧૯ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.