સુશાંત સિંહ રાજપૂતનો પાર્થિવદેહ હોસ્પિટલથી સ્માશન જવા રવાના

ફિલ્મી દુનિયા

બોલિવૂડ એક્ટરના અંતિમ સંસ્કાર આજે (૧૫ જૂન)ના રોજ મુંબઈમાં કરવામાં આવશે. પિતા કેકે સિંહ તથા અન્ય સંબંધીઓ પટનાથી મુંબઈ આવી ગયા છે. મુંબઈ પોલીસના મતે, અંતિમ સંસ્કારમાં પરિવારના આઠ સભ્યો સામેલ થશે. સુશાંતના પિતા ઉપરાંત બહેન તથા અન્ય નિકટના સંબંધીઓ સ્મશાનમાં જશે. સુશાંતની ડેડબોડી લઈને એમ્બ્યુલન્સ કૂપર હોસ્પિટલથી વિલે પાર્લે સ્થિત પવનહંસ સ્મશાનઘાટમાં આવવા માટે રવાના થઈ ગઈ છે.

શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, ક્રિતિ સેનન, અભિષેક કપૂર પત્ની પ્રજ્ઞા સાથે સુશાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવ્યા હતાં.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ફાંસી લગાવી હોવાની વાત સામે આવી છે. નીરજે કહ્યું હતું કે પરિવાર પટનામાં સુશાંતના અંતિમ સંસ્કાર કરવા માગતું હતું પરંતુ કોરોનાને કારણે તંત્રે પરવાનગી આપી નહીં. સુશાંતના આજે સાંજે વિલે પાર્લેમાં પવન હંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સુશાંતના પોસ્ટરમોર્ટમ રિપોર્ટમાં પણ ફાંસીની વાત સામે આવી છે. ૩૪ વર્ષીય સુશાંતે રવિવારે સવારે બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સુસાઈડ નોટ મળી આવી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.