![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/06/Rakhewal-147.jpg)
ઉંઝાથી જૂનાગઢ જઇ રહેલી ST બસના 2 ટાયર નીકળ્યા, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
ઉંઝાથી જૂનાગઢ જઈ રહેલી ઉંઝા એસટી ડેપોની બસનું ટાયર નીકળી જતા મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. બસ ઉંઝાથી જૂનાગઢ જઈ રહી હતી ત્યારે વિરપુર નજીક દુર્ઘટના ઘટી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. પોતાને સહી-સલામત જોઇને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
- એસટી બસના પાછળના 2 ટાયર નીકળ્યા
ચાલું બસે ઉંઝા એસટી બસના પાછળને 2 ટાયર નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, સલમાત સવારી ગણાતી એસટીમાં મુસાફરી કેટલી સલામત તેને લઇને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.v