હિંમતનગરના 106 ગામડાંનો ડ્રોન સર્વે, કેન્દ્ર સરકારની સર્વેયર ટીમે આરંભી કામગીરી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠાના હિંમતનગરમાં ડ્રોન દ્વારા ગ્રામ્ય વિસ્તારના રહેણાંક મકાનોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રથમ દિવસે 6 જેટલા ગામોનો સર્વે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા હિંમતનગરના આગીયોલ ગામમાં સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે હવે હિંમતનગર તાલુકાના 106 ગામોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

  • કેન્દ્ર સરકારની સર્વેયર ટીમ ડ્રોન દ્વારા કરી રહી છે સર્વે

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી સ્વામિત્વ યોજના હેઠળ તમામ મિલકતોની ઓળખ કરવા અને તેનો આધાર તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે હિંમતનગર તાલુકાના 106 ગામોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેની કામગીરી કેન્દ્ર સરકારની સર્વેયર ટીમ, સ્થાનિક જિલ્લા લેન્ડ રેકર્ડ અને અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.