ચડોતર ગામમાં નોટીસ વિના બાંધકામ તોડી પડાયું હોવાની રાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં સરપંચ દ્વારા ગામમાં રહેતી એક મહિલાના મકાનના વરંડાનું પાકું બાંધકામ મનસ્વી રીતે કોઇ પણ જાતની નોટિસ આપ્યા વિના જ દબાણમાં હોવાનું જણાવી તોડી પાડવામાં આવ્યું હોવાની રજૂઆત મહિલાએ જિલ્લા વિકાસ અધિકારીને કરી સરપંચને સસ્પેન્ડ કરવા માંગ કરી છે.
પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં રહેતા કંકુબેન રામજીભાઇ પાતાણી (રાવળ) એ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે ચડોતર ગામે તેઓનું મકાન આવેલ છે. જેની સનદ પણ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી તરફથી આપવામાં આવેલ છે અને બાંધકામને લગભગ દશ વર્ષ ઉપરાંતનો સમય થયેલો છે. તેમ છતાં સરપંચ દ્વારા તેઓને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના સત્તાનો દુરૂપયોગ કરી વિકલ્પમાં દબાણ સેલ તરફથી પણ કોઈ પણ જાતની નોટિસ કે કાર્યવાહી કરવાનોહુકમ કરાયેલ ન હોઈ અને બચાવ કરવાની સુનાવણીની તક પણ આપવામાં આવેલ ન હતી. અને તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ રાત્રીના સુમારે સરપંચ તેમના ઘરે આવી દરેક જે.સી.બી લાવી વરંડાનું બાંધકામ તોડી પાડેલ હોવાના મહિલાએ આવેદનપત્રમા આક્ષેપો કર્યા છે. જેમાં સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરાયો હોવાના આક્ષેપો સાથે તેઓને સસ્પેન્ડ કરવાની પણ મહિલાએ માંગ કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.