આ મુસ્લિમ દેશમાં મોંઘવારીથી લોકો ત્રાહિમામ, ખાવાની ચીજોની સર્જાઈ તંગી
ઈરાનમાં સતત જરૂરી ખાદ્ય સામગ્રીની કિંમતો વધવાથી દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. આનું કારણ છે કે, સરકારે ઘઉં અને આટા પર આપવામાં આવનારી સબસિડીને યા તો ઓછી કરી દીધી છે અથવા પછી સંપૂર્ણ રીતે આને ખત્મ કરી દીધી છે. ઈરાન સરકારે ગત મહિને ઘઉં અને આટા પર આપવામાં આવનારી સબિસિડીને ઓછી કરતા આને જરૂરી ‘ઇકોનોમિક સર્જરી’ ગણાવી હતી.
દેશના લાખો લોકોમાં રોષ
આના કારણે પાસ્તા અને અન્ય ખાદ્ય સામાનોની કિંમતો એકદમથી વધી ગઈ છે જેના કારણે દેશના લાખો લોકોમાં રોષ છે. પાસ્તાની કિંમતોમાં વધારો એ કારણે એક મુદ્દો બની ગયો છે કેમકે ચોખા દેશના ગરીબો અને મધ્ય વર્ગના લોકો માટે લગ્ઝરી ભોજન બની ગયું છે.
પાસ્તાની કિંમતોમાં 169 ટકાનો વધારો
આજના સમયમાં 10 કિલો ચોખાની બોરીની કિંમત 10 લાખ તોમાન (3 ડૉલર)થી વધારે છે. સબસિડીમાં કાપથી પાસ્તાની કિંમતોમાં 169 ટકાનો વધારો થયો છે. સરકાર તરફથી કાર્યવાહીના ડરે ઓળખ છતી ના કરવાની શર્ત પર એક વરિષ્ઠ આર્થિક પત્રકારે જણાવ્યું કે, આ વર્ષની શરૂઆતથી જ કામદારોની આજીવિકામાં ઘટાડો આવ્યો છે.
વૈશ્વિક સ્તરે ઘઉંનું સંકટ વધ્યું
તેમણે કહ્યું કે, આજે આપણે જોઇ રહ્યા છીએ કે, પ્રતિ વ્યક્તિ મીટની ખપત ઝડપથી ઓછી થઈ છે અને મજૂરોને મીટની તુલનામાં હાઇડ્રેટ અને સ્ટાર્ચ પર નિર્ભર રહેવું પડે છે. સરકારનું કહેવું છે કે, યુક્રેન પર રશિયાના હુમલાના કારણે વૈશ્વિક સ્તરે ઘઉંનું સંકટ વધવાથી સંકટ વધ્યું છે. રશિયા અને યુક્રેન ઘઉં અને કોર્નના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર દેશ છે.
ઘઉં અને લોટ પર અપાતી સબસિડી સમાપ્ત કરવી પડી
સરકારની સત્તાવાર વેબસાઇટ અનુસાર, પ્રમુખ ઇબ્રાહિમ રાયસીના વહીવટીતંત્રે ઘઉં અને લોટ પર આપવામાં આવતી સબસિડીને સમાપ્ત કરવી પડી હતી, કારણ કે ઘણા વચેટિયા સ્થાનિક વેપારીઓ પાસેથી સબસિડીવાળો લોટ ખરીદીને અને વિદેશમાં તેની દાણચોરી કરીને મોટો નફો કમાતા હતા.