ધાનેરાઃ પાડોશી રાજ્યની સરહદો સીલ થતાં ગુટખાના ભાવ આસમાને 

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોના વાયરસના વધતા કહેરને લઇ રાજસ્થાન સરકાર દ્રારા બોર્ડરો સીલ કરવામાં આવતા ધાનેરામાં તેની અસર વર્તાઇ છે. ધાનેરામાં પાન-મસાલા-ગુટખા સહિતનો મોટાભાગનો જથ્થો રાજસ્થાનથી આવતો હોવાથી વેપારીઓએ ગુટખાની કુત્રિમ અછત સર્જી છે. આ સાથે ગુટખાના ભાવમાં પણ બપોર પછી તમામ પેકેટ ઉપર રૂ.૮૦નો વધારો કરી વેચતા હોવાનું સુત્રોએ જણાવ્યુ છે.

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા પંથકમાં ફરી એકવાર ગુટખાની કાળાબજારીની શરૂઆત થઇ છે. કોરોનાને લઇ પાડોશી રાજ્યએ પોતાની સરહદો સીલ કરી છે. જોકે તેની સીધી અસર હવે ધાનેરાના ગુટખા સહિતના વેપારીઓને થઇ છે. ધાનેરામાં પાન-મસાલા-ગુટખા સહીતનો જથ્થો મોટેભાગે રાજસ્થાનથી ઠલવાતો હોય છે. જોકે હવે બોર્ડરો બંધ થતાં વેપારીઓ મનફાવે તેમ ગુટખાના ભાવ લઇ રહ્યા છે.

ગત દીવસોએ લોકડાઉનમાં પણ ગુટખાની કાળાબજારીમાં ગુટખામાફીયાઓ બેફામ બન્યા હતા. જોકે અનલોક-‌૧માં સરકારે આંશિક છુટછાટ સાથે ગુટખાની પણ છૂટ આપી હતી. જોકે રાજસ્થાન સરકારે તેમના રાજ્યની સરહદો સીલ કરી છે. હોલસેલમાં ગુટખાના ભાવ વધતા છૂટકમાં પણ ડબલ ભાવ લેવાઇ રહ્યાનું સુત્રોએ જણાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.