પાલનપુર, ડીસા, છાપી અને દાંતીવાડાથી શેરડીરસ, કેરીરસ અને આઈસ્ક્રીમના સેમ્પલ લીધા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર ફૂડસેફ્ટી વિભાગે પાલનપુર, ડીસા, છાપી, દાંતીવાડાથી જુદા જુદા આહારગૃહ પાર્લર મિષ્ઠાન ભંડારમાથી શેરડીરસ મિલ્કશેક કેરીનો રસ અને આઈસ્ક્રીમના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે. થરાદમાં કોલ્ડ્રીંકસ મેન્યુ ફેકટરીમાં ઠંડા પીણાંની પેકિંગ થતી બોટલનાં સેમ્પલ લીધાં હતા.ફૂડ સેફટી ઓફિસર પી.એસ.ચૌધરી, એલ.એન.ફોફ, ટી.એચ. પટેલ, પી.આર. સુથાર અને એમ એલ ગુર્જરે પોતાની ટીમ સાથે દરોડાની કામગીરી હાથ ધરી જુદા જુદા સેમ્પલ લીધા હતા.

આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે “છાપીથી ગુલાબ સરબત, દાંતીવાડાથી ફ્રુટ જ્યુસ, પાલનપુરથી શેરડી રસ, મેંગો મિલ્કશેક, કેરીનો રસ આ સેમ્પલ લેવામાં આવ્યા હતા.ઉપરાંત ડીસા અને ભરકાવાડાથી વેનીલા આઈસ્ક્રીમના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.”

થરાદમાં સાંચોર હાઇવે પર શ્રી નડેશ્વરી બેવરેજીસ નામની મેન્યુફેક્ચરેડ અને માર્કેટીંગ કરતી ફેકટરી આવેલી છે. જેમાં ધવલ બેવરેજીસ નામથી જીરા મેંગો તેમજ ફ્રૂટ બિયર વગેરે કોલ્ડ્રીંકસની બોટલોનું પેકિંગ કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.