વાજિદ ખાનનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયુઃ પરિવારનો ખુલાસો
મુંબઇ,
મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનના પરિવારે સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. આ સ્ટેટમેન્ટ તેના ભાઈ સાજિદ ખાને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે જેમાં વાજિદ ખાનના મૃત્યુનું કારણ જણાવાયું છે.
સ્ટેટમેન્ટમાં પરિવારે લખ્યું છે કે, અમારા પ્યારા વાજિદનું નિધન ૪૭ વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટને કારણે ૧ જૂનના રાત્રે સાડા બાર વાગ્યે સુરાણા સેઠિયા હોસ્પટલમાં થયું. તેનું ગયા વર્ષે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને તે થ્રોટ ઇન્ફેક્શનની સારવાર લઇ રહ્યો હતો. સ્ટેટમેન્ટમાં તેમણે ડોક્ટર્સ અને હોસ્પટલના પૂરા સ્ટાફનો આભાર માન્યો કે તેમણે સારવાર દરમ્યાન વાજિદનું પરિવારની જેમ ધ્યાન રાખ્યું.
સ્ટેટમેન્ટમાં પરિવારે આ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે વાજિદનું મૃત્યુ કોરોના વાઇરસને કારણે થયું હતું. અગાઉ ન્યૂઝ એવા હતા કે વાજિદ કોરોના સંક્રમિત હતા અને વેન્ટલેટર પર હતા. કોરોનાના કારણે મલ્ટ ઓર્ગન ફેલ્યોર થયું અને તેનું મૃત્યુ થયું.