![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/3d1aec5f-6db5-4eef-9703-671076ad05bb.jpg)
પાલનપુર માનસરોવર રોડ પર આવેલ કૈલાસ વાટિકા બગીચો પુર્નજીવિત કરવા માંગ
રખેવાળ ન્યુઝ પાલનપુર
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાજના રાજમાં માનસરોવર રોડ પર આવેલા કૈલાશ વાટીકા બગીચો છેલ્લા કેટલાક સમયથી વેરાન હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરની શોભા વધારતો આ બગીચો પુનર્જીવિત કરવામાં આવે તેવી માંગ સાથે પાલનપુર નગર પાલિકાના નગરસેવક અમૃત દાઢીએ પ્રમુખ/ચીફ ઓફિસર સમક્ષ લેખિત રજૂઆત
બગીચામાં પાણીની પાઇપ લાઇન પણ બંધ કરી દેવાતા છોડ સુકાઈ ગયા
પાલનપુરના માનસરોવર રોડ પર આવેલ આ બગીચો શહેરની શોભા વધારતો હતો. જો કે તેની સાર સંભાળના અભાવ ઉપરાંત પાણીની પાઇપ લાઇન પણ બંધ કરી દેવામાં આવતાં બગીચામાં ઉગાડેલા વૃક્ષો, છોડ અને ઘાસ સુકાઈ ગયું હતું. જેને પગલે બગીચો હાલમાં વેરાન સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.