પરસ્ત્રી સાથે મિત્રતા રાખનાર અને કામ ધંધો ન કરનાર પતિએ પત્નીને કાઢી મૂકી

સાબરકાંઠા
સાબરકાંઠા

વિજયનગરના કોડિયાવાડાની રાજસ્થાન પરણાવેલ પત્નીએ પરસ્ત્રી સાથે મિત્રતા ધરાવનાર કામ ધંધો ન કરનાર પતિને કામ ધંધો કરવાનું કહેતા પતિ સહિત સાસરિયાઓએ ઝઘડો કરી પહેરેલ કપડે પત્નીને કાઢી મૂકતાં આઠ વર્ષના લગ્નજીવનમાં ભંગાણ સર્જાયું હતું અને મામલો પોલીસ સ્ટેશન પહોંચતાં પોલીસે ચાર જણાં વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોડિયાવાડાના નિમિષાબેનના લગ્ન તા. 18-05-14 ના રોજ ઉદેપુરના નયાગાવ તાલુકાના ચટોલ ગામના સંજયભાઈ દિનેશભાઈ ખરાડી સાથે થયા હતા. બે એક વર્ષ પહેલા પતિ સંજય ભાઈને પરસ્ત્રી સાથે મિત્રતા હોવાની જાણ થતાં નિમિષાબેને તેમના સાસુ સસરાને વાત કરતાં પતિને ઠપકો આપવાને બદલે સાસુ સસરા અને દિયરે તેમની સાથે ઝઘડો કરી અપશબ્દો બોલ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.