ઊંઝાનું માર્કેટયાર્ડ 27મીથી અને વિસનગર 28 માર્ચથી બંધ રહેશે

મહેસાણા
મહેસાણા

માર્ચ એન્ડિંગને લઈ ઊંઝા માર્કેટયાર્ડમાં 27 માર્ચથી 4 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે. જે 5 એપ્રિલથી ફરી હાથ ધરાશે.જ્યારે વિસનગર માર્કેટયાર્ડમાં ગંજબજાર વેપારી મંડળ દ્વારા હિસાબી કામકાજ માટે 28 માર્ચને સોમવારથી 2 એપ્રિલ શનિવાર સુધી હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેના પગલે 28મીથી સપ્તાહ સુધી હરાજીની કામગીરી બંધ રહેશે. 4 એપ્રિલથી રાબેતા મુજબ હરાજીનું કામ હાથ ધરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

બહુચરાજી માર્કેટયાર્ડ 27 માર્ચથી બંધ બહુચરાજી માર્કેટયાર્ડ 27 માર્ચને રવિવારથી 3 એપ્રિલને રવિવાર સુધી માર્ચ એન્ડિંગના કારણે બંધ રહેશે. આ દિવસોમાં તમામ માલની હરાજી બંધ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.