ઉનાળુ બાજરીના ભાવ માં ઘટાડો થતા ખેડૂતો નારાજ
રખેવાળ ન્યુઝ વડાવલ : લોકડાઉન, કુદરતી આફતો અને તિડ નો તાંડવ વચ્ચે જીવતો ખેડૂતના પાકો ના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડુતો ચિંતિત બન્યા છે. જેમાં લોક ડાઉન ને લઇ અન્ય ચીજ વસ્તુના ભાવોમાં વધારો થયો છે ત્યારે અનાજના ભાવો ગગડયા છે. જેના વચ્ચે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ખેડૂતોના વાવેતરના ખર્ચા પ્રમાણે કોઈપણ ધાન્યનો પોષણક્ષમ ભાવો મળી રહયા નથી. જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વર્ષ દહાડે પાણીનાં તળ પણ ખૂબ જ ઊંડા જતા હોવાથી લાઈટ બિલો વધી રહયા છે. ઉપરાંત વિદ્યુત બોર્ડ દ્વારા પણ દંડ પણ આપવામાં આવી રહયા છે. ખાતર બિયારણ અને મજુરી પણ મોંઘી બની છે. જેના પ્રમાણમાં ખેડૂતોને અનાજના ભાવ મળવા જરૂરી હોય છે પરંતુ ખેડૂતોને ભાવ ન મળતા ખેતી માં પણ નુકશાની થઇ રહી છે. બાજરીના વાવેતરથી લઈને કાપણી સુધી પણ મોટા ખર્ચાઓ આવતા હોય છે તેમજ લોકડાઉનના લીધે મજૂરોની તંગી પણ વર્તાઇ રહી છે ત્યારે ગત વર્ષે કરતાં બાજરીના ભાવમાં ૧૦૦ રૂપિયા ઓછો મળી રહયા છે. નવી બાજરીની આવક થતાં જ બાજરીના ભાવ માં એકદમ ધટાડો નોધાયો છે. જેને લઇ ખેડુતોમાં નારાજગી જોવા મળી રહી છે.
Tags vadaval