હિંમતનગરમાં સૂરજપુરા ફાટક પાસે બાઈક ખાડામાં ઉતરી જતાં ચાલકનું મોત

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર તાલુકાના ગાંભોઇ નજીક સૂરજપુરા ફાટક પાસે શનિવારે સવારે ચાલકે બાઈક પરનો કાબૂ ગુમાવતા રોડની બાજુમાં ખાડામાં પડી જતાં કરૂણ મોત નિપજ્યું હતું. મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગર તાલુકાના માનપુર ગામના ધર્મેન્દ્રસિંહ વજુજી ભગવાનજી મકવાણા (22) તા. 05-03-22ના રોજ સવારે બાઇક નંબર જીજે-01-યુકયુ-2186 લઈને નીકળ્યા હતા અને સૂરજપુરા ફાટક નજીક આવેલ ગરનાળા પાસે અગમ્ય કારણોસર રસ્તા પરથી ખાડામાં બાઇક ઉતરી જતા માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતાં યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું સવારે સાતેક વાગે અકસ્માતની જાણ થતાં ગાંભોઇ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે યુવકના પિતા વજુજી ભગવાનજી મકવાણાએ ગાંભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.