પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે ખોટો લાભ લેવાનું કૌભાંડ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર  : પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોના મકાનના રીનોવેશન માટે સરકાર દ્વારા ૩ લાખ ઉપરાંતની સહાય આપવામાં આવી રહી છે. જેમાં કેટલાક લોકોએ પોતાનું પાકું મકાન હોવા છતાં આ યોજના અંતર્ગત ફોર્મ ભરી ખોટી રીતે નાણાં મેળવી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવતાં ચકચાર મચી જવા પામી છે. આવા ૧૫૦ ઉપરાંત શખ્સોને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી ગેરકાયદેસર રીતે લીધેલા નાણાં પરત જમા કરવા જણાવાયું છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ પરીવારના લોકો માટે અનેક વિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જોકે, તેનો જરૂરિયાત મંદ લોકો જેટલો લાભ નથી લેતાં તેના કરતાં લેભાગુ લોકો યેન કેન પ્રકારે લાભ લઇ ગેરરીતિઓ આચરતાં હોય છે. જેમાં પાલનપુરમાં આ યોજના અંતર્ગત ખોટી રીતે મકાનના હપ્તાના નાણાં મેળવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની સનસનાટીભરી વિગતો બહાર આવી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વસવાટ કરતાં ગરીબ પરિવારોને પોતાના કાચા મકાનનું રીનોવેશન માટે રૂપિયા ૩ લાખ ઉપરાતની સહાય ચુકવવામાં આવી રહી છે. જેમાં પ્રથમ બીજી અને ત્રીજી યાદી પ્રમાણે હપ્તા ચુકવવામાં આવ્યા છે. પરંતુ કેટલાક લોકોએ પોતાનું પાકું મકાન હોવા છતાં આ યોજના અંતર્ગત ફોર્મ ભરી ખોટી રીતે નાણાં મેળવી કૌભાંડ આચર્યું છે. આવા લોકોને નાણાં પરત જમા કરાવવા માટે કન્સલ્ટ એજન્સિના સંચાલક દ્વારા નોટિશો ફટકારવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.