![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/501794_0.jpg)
અમદાવાદમાં નિવૃત્ત DySPના પુત્રએ પિતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળીમારી આત્મહત્યા કરી
અમદાવાદ જિલ્લાના શેલા ગામની મોનાર્ક સિટીમાં રહેતા નિવૃત્ત DySP સી.જે. ભરવાડના પુત્રએ આત્મહત્યા કરી છે. શિવમ ભરવાડે મોડી રાત્રે પિતાની લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ઘટના અંગે બોપલ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે. શિવમની આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા પોલીસે પરિવારજનોના નિવદેનોના આધારે તજવીજ હાથ ધરી છે.
મૃતક શિવમના પિતા સી.જે. ભરવાડ નિવૃત્ત ડ્ઢઅજીઁ છે અને તેઓ કોઇ કામસર બહાર ગયા હતા. ઘરે શિવમ પોતાના પરિવાર સાથે હતા. પરિવાર સાથે મોડી રાત સુધી બેઠા હતા. શિવમે રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ રિવોલ્વરથી ગોળીમારી આપઘાત કર્યો હતો. પોલીસનું પ્રાથમિક તારણ છેકે, શિવમે આર્થિક કારણથી આપઘાત કર્યો હોય શકે છે. તેમની પાસે રિવોલ્વરનું લાયસન્સ હોવાનું પણ સામે આવ્યું છે.