લાઇટના થાંભલા સાથે બાઇકચાલક અથડાતાં ચાલકનું સારવારમાં મોત

સાબરકાંઠા
સાબરકાંઠા

મંગળવારની રાત્રે પોણા અગિયારેક વાગ્યે બાઇક લઇને જઇ રહેલ બાઇક ચાલકનું હિંમતનગરના ભોલેશ્વરના આંબેડકર સર્કલ નજીક લાઇટના થાંભલા સાથે અથડાઇ જવાથી માથામાં ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન મોત નિપજતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.22-02-22 નારોજ રાત્રે નવેક વાગ્યે ઇગ્લેશભાઇ પ્રભુદાસભાઇ કલાસવા ભોલેશ્વર ખાતે તેમના ઘેર ચોપાડમાં તેમની પત્ની સાથે બેઠા હતા.

ત્યારે તેમને ગભરામણ જેવુ થતું હોવાથી પત્નીને પાણી લાવવા કહેતા તેમની પત્ની ઘરમાંથી પાણી લેવા જતાં ઇગ્લેશભાઇ પ્રભુદાસભાઇ કલાસવા પોણા અગિયારેક વાગ્યે ઘર આગળ મૂકેલ બાઇક નં.જી.જે-09-જી.કે-1906 લઇ પરબડા તરફ જતા હોવાથી તેમની પત્ની પાછળ ગયા હતા.

પરંતુ ઇગ્લેશભાઇ આંબેડકર સર્કલ નજીક આવેલ લાઇટના થાંભલા સાથે અથડાઇ જતાં માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી અને તેમને 108 મારફતે સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હોવાનું ફરજ પરના ડોક્ટરે જણાવ્યુ હતું. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.