ડીસામાં વિવાદિત બગીચાનું ‘લોક’ ફરી ખુલવાના એંધાણ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસામાં હવાઈ પીલ્લર નજીક અઢી કરોડ ઉપરાંતના ખર્ચે પૂર્વ પ્રમુખ દ્વારા નાનાજી દેશમુખ બગીચાનું નિર્માણ કરાયું હતું પણ સરકારી જમીનમાં બનાવેલ આ બગીચો શરૂઆતથી જ વિવાદમાં રહ્યો હતો. જેના પગલે બગીચાનું નિર્માણ કરનાર કોન્ટ્રકટરનું ‘પેમેન્ટ’ અટવાઈ જતા કોન્ટ્રાકટર દ્વારા બગીચાને તાળું મારી દેવામાં આવ્યું છે. જેથી ડીસાવાસીઓ માટે એક માત્ર સપના સમાન બગીચાને પણ વિવાદનું ગ્રહણ લાગ્યું હતું ત્યારબાદ આ બગીચો સતત વિવાદમાં અટવાતો રહ્યો છે. જોકે, અઢી વર્ષના લાંબા ગાળા બાદ આ બગીચો શરૂ કરવા માટેનો સળવળાટ શરૂ થતાં તાજેતરમાં પાલિકા ખાતે યોજાયેલી સાધારણ સભામાં બગીચાને પુનઃ શરૂ કરવાની માગ ઉઠી હતી અને ધારાસભ્ય સહિત તમામ પાલિકા સભાસદોએ પણ સહમતી દાખવતા આગામી સપ્તાહમાં બગીચો શરૂ કરવા માટેનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે ગઈકાલે શુક્રવારે ડીસા પાલિકા પ્રમુખ કાંતિલાલ સોની સહિત પાલિકા સદસ્યોએ બગીચાની મુલાકાત લઈ તેને શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી લોકડાઉન વચ્ચે ડીસાવાસીઓના હૈયા હરખાઈ ઉઠ્‌યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.