બોલિવૂડના ગાયક બપ્પી લહેરી પંચતત્ત્વમાં વિલીન થયા
બોલિવૂડના પ્રખ્યાત ગાયક તેમજ સંગીતકાર બપ્પી લહેરી પંચતત્વમાં વિલીન થઇ ગયા છે.જેમને પુત્ર બપ્પા લહેરીએ મુખાગ્નિ આપી હતી.બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર જુહુના પવનહંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.બપ્પીદાની અંતિમ યાત્રા ફૂલોથી શણગારેલી ટ્રકમાં નીકળી હતી. ટ્રક પર બપ્પી દાની મોટી તસવીર લગાવવામાં આવી હતી અને તેમાં તેમના પાર્થિવદેહને રાખીને અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
બપ્પી લહેરીની અંતિમ યાત્રા સવારે 10 વાગ્યે તેમના જુહુ સ્થિત ઘરેથી શરૂ થઈ હતી.આમ તેમની અંતિમયાત્રામાં પરિવારના સભ્યો ઉપરાંત,અલકા યાજ્ઞિક,વિદ્યા બાલન,રૂપાલી ગાંગુલી,શક્તિ કપૂર,ઇલા અરૂણ,શાન,મિકાસિંહ અને સુનીલ પાલ સહિતની કેટલીક હસ્તીઓ તેમની અંતિમ યાત્રામાં સામેલ થઇ હતી.
આમ બોલિવૂડના પ્રખ્યાત ગાયક તેમજ સંગીતકાર બપ્પી લહેરીનું મંગળવારે રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું છે.બપ્પી લહેરીએ બોલિવૂડને ઘણા હિટ ગીતો આપ્યા છે તેમને ભારતમાં ડિસ્કો બીટ્સ અને પોપ સંગીતની શરૂઆત કરનારા મનાય છે.