હિંમતનગર રેલ્વે સ્ટેશન પર 8 વર્ષ બાદ બિહારથી ગુમ શખ્સનું પરિવાર સાથે મિલન

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર રેલ્વે સ્ટેશન પર તા.10-02-22 ના રોજ આવેલ ટ્રેનમાં એક માનસિક દિવ્યાંગ વ્યક્તિ મળી આવતા રેલ્વે પોલીસે તેની સાથે શાંતિથી વાતચીત કરી તમામ વિગતો મેળવતાં આ શખ્સ 8 વર્ષ અગાઉ બિહાર થી નીકળી ગયો હોવાનું જાણવા મળતાં બિહાર પોલીસને જાણ કરી તેના પરિવારનો સંપર્ક કર્યો હતો અને યોગાનુ યોગ પૂર્ણ 8 વર્ષે 14 ફેબ્રુઆરીએ તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.

રેલ્વે પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર તા.10-02-22 ના રોજ હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે અસારવા – ડુંગરપુર ટ્રેન આવી પહોંચતા પોલીસ કોન્સ્ટેબલ વિજય કુમારે એક શખ્સને ટ્રેનના દરવાજા પાસે સંતાતો જોતા તેને નીચે ઉતારી શાંતિથી વાતચીત કરી પૂછપરછ કરતાં તેનુ નામ વિલોકકુમાર શ્રીલક દીપરાય યાદવ હોવાનું અને પોતે બિહારના વૈશાલી જિલ્લાના ધબૌલીનો હોવાનું જણાવતા હિંમતનગર રેલ્વે પોલીસે તેના ગામની નજીકના બિંદુપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી મળી આવેલ શખ્સના પરિવારની તપાસ કરાવી હતી. બંદુપુર પોલીસના જણાવ્યાનુસાર વિલોકકુમાર માનસિક અસ્થિરતાને કારણે તા.15-02-14 ના રોજ ઘેરથી નીકળી ગયા હતા અને શોધખોળ કરવા છતાં મળી ન આવતા પરિવારજનોએ ફરિયાદ પણ નોંધાવી હતી.

​​​​​​​બિંદુપુર પોલીસે જાણ કર્યા બાદ વિલોકકુમાર ના પત્ની અને અન્ય સગા-સંબંધીઓ હિંમતનગર રેલ્વે સ્ટેશન આવી પહોંચ્યા હતા અને વિલોકકુમારને ઓળખી બતાવતા જરૂરી કાર્યવાહી કરી ઓળખના પૂરાવા મેળવી વિલોકકુમારને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. તા.15-02-14 ના રોજ લાપતા થયા બાદ પૂરા આઠ વર્ષે તા.14-02-22 ના રોજ લાપતા શખ્સનુ વેલેન્ટાઈન ડે ના દિવસે જ પત્ની સાથે મિલન કરાવતા પરિવારે પણ આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.