સાબરકાંઠામાં દાદીએ સગા પૌત્રની કરપીણ હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં દાદીએ સગા પૌત્રની કરપીણ હત્યા કર્યાના બનાવ થી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અરેરાટી ફેલાઇ છે જોકે એક સપ્તાહ બાદ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ આરોપી દાદીની અટકાયત કરી સબ જેલ પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે. (દાદી અને પૌત્રની

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં રબારી વાસમાં રહેતા ચંદ્રિકાબેન વિજય લાલ રાવલે પોતાના દોઢ વર્ષના પૌત્રને અગમ્ય કારણસર મોતને ઘાટ ઉતાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મુકેશ ઉદાજી ઠાકોરને બે પુત્ર છે. ચાર વર્ષીય ઋત્વિક તેમજ દોઢ વર્ષીય શૈલેષ. આ બંને હાલમાં તેમના દાદી પાસે રહેતા હતા. જોકે ઋત્વિક તેમજ શૈલેષની માતા રીસામણે પિયર જતા રહેતા હાલમાં તેમની પરવરિશ તેમની દાદી ચંદ્રિકાબેન રાવલ કરતા હતા.

આર્થિક દ્રષ્ટિએ પરિવારની સ્થિતિ એકદમ સામાન્ય હોવાના પગલે અલગ-અલગ મજુરી કામ કરી જીવન ગુજારતા હતા. ત્યારે 23 જાન્યુઆરીના રોજ અગમ્ય કારણસર ચંદ્રિકાબેન રાવલ પોતાના દોઢ વર્ષના પૌત્રને પ્રથમ દ્રષ્ટિએ અચાનક મોત થયા હોવાનું જણાવી તેની અંતિમ ક્રિયા કરાવી હતી. જોકે, સમગ્ર ઘટનાનો સાક્ષી રહેલ ચાર વર્ષીય ઋત્વિકે પોતાના ભાઈ સાથે બનેલી હત્યાની ઘટનાને પિતાને કરી હતી. સાથોસાથ ખેડબ્રહ્મા પોલીસે પણ આ મામલે ગંભીરતાથી લેતા મૃતક શૈલેષનું પીએમ કરાવતા શરીર ઉપર ઇજાના નિશાન સહિત મૃત્યુ પાછળ ગળેટુંપો આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કે ખૂલ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.