![rakhewal](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/726315bhufdsbfsbfye.jpg)
મોદી સરકાર ૩૧મે બાદ વધુ બે અઠવાડિયા લાકડાઉન લંબાવશે
ન્યુ દિલ્હી : કોરોનાના સંકટના પગલે લોકડાઉનના પાંચમાં તબક્કા માટેનું આયોજન કરવામાં આવી રÌšં છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન ૫.૦ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝડપથી ‘મન કી બાત’ કરે તેવી શકયતા છે. લોકડાઉનના પાંચમાં તબક્કામાં કોરોનાથી પ્રભાવિત દેશના ૧૧ શહેરોને બાદ કરતા સમગ્ર દેશમાં વધુ છુટ અપાય તેવી શકયતા છે.
સૂત્રોનું કહેવું છે કે લોકડાઉનના પાંચમાં તબક્કામાં ૧૧ શહેરો મુખ્ય હશે. જેમાં દિલ્હી, મુંબઈ, પુના, થાણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકતા સામેલ છે. આ શહેરોમાં દેશના કુલ કોરોના કેસના ૭૦ ટકાથી વધુ કેસ છે. અમદાવાદ, દિલ્હી, પુના, કોલકતા, મુંબઈમાં તો કુલ કેસના ૬૦ ટકા દર્દીઓની પુÂષ્ટ થઈ ચુકી છે.
લોકડાઉનના પાંચમાં તબક્કામાં કેન્દ્ર તરફથી ધાર્મિક સ્થળોને ખોલવાની છુટ અપાય તેવી શકયતા છે. જાકે તેના માટે ચોક્કસ નિયમો અને શરતો હશે. ધાર્મિક સ્થળો પર કોઈ પણ મેળો કે મહોત્સવ મનાવવાની છુટ હશે નહિ. સાથે જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ શકશે નહિ. લોકડાઉન ૫.૦ દરમિયાન તમામ ઝોનમાં સલુન અને જિમને ખોલવાની પરવાનગી મળે તેવી શકયતા છે. જાકે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સ્થત સલુન અને જિમને ખોલવાની પરવાનગી અપાશે નહિ.
Tags Gujarat