હજારો શ્રમિકોની મદદ કરનાર સોનૂ સૂદ માટે ઉઠી ‘પદ્મ વિભૂષણ’ ની માંગ
મુંબઈ,
બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ લાકડાઉનમા ફસાયેલા મજૂરોને ઘરે પહોંચાડવામાં મદદ કરી રહ્યો છે. સોનૂ સૂદના આ કામની સોશિયલ મીડિયા પર ખુબ પ્રશંસા થઈ રહી છે. સોનૂ સૂદના કામથી ખુશ થઈને એક વ્યક્તએ તેને સરકાર પાસે ‘પદ્મ વિભૂષણ’ આપવાની માગ કરી છે. અભિનેતાને પદ્મ વિભૂષણ આપવાને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. સોનૂ સૂદના કામથી પ્રભાવિત થયેલા તે વ્યક્તએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરતા ટ્વીટ કર્યું છે. તેણે લખ્યુ, આ મહામારી સંકટમાં પ્રવાસી શ્રમિકો માટે મસિહા બનેલા સોનૂ સૂદને પદ્મ વિભૂષણ માટે સરકાર પાસે માગ કરુ છું. જેનો જવાબ આપતા સોનૂ સૂદે લખ્યુ,
મારા દ્વારા પોતાનાઘરે પહોંચનારા પ્રવાસીથી મળેલા દરેક કોલ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. ભગવાનનો આભારી છું કે મને આ પુરસ્કાર હજારોમાં મળ્યા છે. તમને જણાવી દઈએ કે સોનૂ સૂદે પોતાના પૈસાથી બસો બુક કરીને તે પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાનું કામ શરૂ કર્યુ છે. ત્યારબાદ હજારોની સંખ્યામાં સોનૂએ લોકોને તેના ઘરે પહોંચાડ્યા છે. આ સારા કામ બાદ ટ્વીટરથી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સોનૂ સૂદની ખુબ પ્રશંસા થઈ રહી છે. હાલમાં તેણે ઝી ન્યૂઝને , જ્યાં સુધી બધા પ્રવાસી મજૂર પોતાના ઘરે નહીં પહોંચે ત્યાં સુધી આ મૂહિમ ચાલું રાખીશ. તે માટે ભગે ગમે એટલું કામ અને મહેનત કરવી પડે.
છેલ્લો મજૂર તેના ઘરે ન પહોંચે ત્યાં સુધી શાંતિથી ન રહી શકું. સોનૂ સૂદે જણાવ્યુ કે, મજૂરોને પરત મોકલવામા તેને સૌથી મોટી મુશ્કેલી તે આવી કે મજૂરોની કાગળોની કાર્યવાહી કરવામા ખુબ ભાગદોડ કરવી પડે છે. તેવામાં જે અભણ લોકો છે તેના માટે આ બધુ કરવુ ખુબ મુશ્કેલ થઈ જાય છે. સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવવી જાઈએ.