ભારતનો યુએઈ સામે ૧૫૪ રનથી વિજય
ભારતે યુએઈ સામેની એશિયા કપ અંડર-૧૯ની વન ડેમાં ૧૫૪ રનથી જીત હાંસલ કરી હતી. જીતવા માટેના ૨૮૩ના ટાર્ગેટ સામે યુએઈની ટીમ ૩૪.૩ ઓવરમાં જ ૧૨૮ રનમાં જ સમેટાઈ ગઈ હતી. હવે ભારત ૨૫મી ડિસેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે. રાજવર્ધન હંગાર્ગેકરે ઓલરાઉન્ડ દેખાવ કરતાં ૨૩ બોલમાં ૪૮ રન ફટકાર્યા બાદ ત્રણ વિકેટ ઝડપી હતી.
યુએઈની ટીમે ટોસ જીતીને ભારતને બેટીંગમાં ઉતાર્યું હતુ. ઓપનર રઘુવંશી બે રને આઉટ થયો હતો. જ્યારે હરનૂરે ૧૨૦ રન નોંધાવ્યા હતા. વન ડાઉન ઉતરેલા રશીદે ૩૫, યશ ધુલે ૬૩, નિશાંત સિંધુએ ૦, રાજવર્ધન હંગાર્ગેકરે ૪૮* (૨૩ બોલ, ૬ ચોગ્ગા અને બે છગ્ગા) અને કુશલ તામ્બેએ ૬* રન નોંધાવ્યા હતા. યુએઈએ નવ બોલરોને અજમાવ્યા હતા.